કમાલપુર

કમાલપુર એ ગામ છે, જ્યાં રામલીલા થકી દરેક હૃદયમાં રામ છે.

About Us Image

અમારા વિષે

કમાલપુર ગામ, જ્યાંથી અમારો પરંપરાગત વારસો અને સંસ્કાર શરૂ થાય છે. કમાલપુરના અનેક પરિવાર અમદાવાદ અને અલગ અલગ શહેરમાં વસવાટ કરી રહ્યા છે, પરંતુ અમારી ધરમરેખા અને સંબંધો કમાલપુર સાથે ગાઢ રીતે જોડાયેલા છે.

કમાલપુર ગામે છેલ્લા ત્રણ પેઢીથી નવરાત્રીના પવિત્ર સમયમાં રામલીલા ભજવાય છે, જે અમારું ગૌરવ છે. રામલીલા માત્ર ધાર્મિક કર્તવ્ય નહીં, પણ સમગ્ર ગામની એકતા અને સૌહાર્દનું પ્રતીક છે. આ પરંપરાને જીવનંત રાખવું અને એમાં યોગદાન આપવું, અમારું ધ્યેય છે.

ગામના યુવાધન એ અમારી ઉત્કૃષ્ટ ઓળખ છે. તેઓ નવું વિચારધારા અને જુસ્સાથી ભરપૂર છે, જે ગામની પરંપરાને આગળ ધપાવે છે. રામલીલા ઉપરાંત, તેઓ ગામના વિકાસ અને સાંસ્કૃતિક ઉત્સવોને સફળ બનાવવા માટે સતત કાર્યરત રહે છે.

કમાલપુર અમારા માટે માત્ર એક ગામ નથી, તે અમારું ઘરેણું છે, જ્યાં શાંતિ, પરંપરા અને પ્રેમનો દરિયો વહે છે. અમારા માટે ગામની ભૂમિકા એનું આધ્યાત્મિક અને સામાજિક મહત્ત્વ છે, જે અમને હંમેશા ગર્વ આપે છે. અમારું ધ્યેય છે કે કમાલપુર ગામની આ પરંપરા જળવાઈ રહે અને આવનારી પેઢીઓને તેમાં સંસ્કાર અને મહત્વનો વારસો મળે.

કમાલપુર ગામ તે પવિત્ર સ્થળ છે, જ્યાં રામના નગર જેવો આનંદ અને ભક્તિનો રંગ છવાયેલો છે.

કમાલપુર એ પરંપરાનું પવિત્ર કેન્દ્ર છે, જ્યાં ધર્મ અને સંસ્કૃતિ જીવંત રહે છે.

કમાલપુરનાં લોકોની ઓળખ છે તેમની દયાળુતા અને શ્રદ્ધા, જ્યાં નમ્રતા અને પ્રેમ દરેક હૃદયમાં વિરાજે છે.

કમાલપુર ગામ એ છે જ્યાં ભક્તિ અને એકતા પવનની જેમ વહે છે, અને દરેક મનમાં ભગવાનનું પ્રતિબિંબ દેખાય છે.

કમાલપુર એ અનોખું ગામ છે, જ્યાં ભાઇચારાની સાથે આધ્યાત્મિક જીવન જીવવાનું એક સુન્દર સંકલ્પ છે.

About Us Image
કમાલપુરની રામલીલાની ઝાંખી

કમાલપુર પટેલ પરિવાર અમદાવાદ

દસમો વાર્ષિક સ્નેહ મિલન સમારંભ

તા.22/12/2024, રવિવાર, સવારે 08:00 કલાકે

નંદનવન રિસોર્ટ, ઈન્દોર હાઇવે, ભાવડા, અમદાવાદ

: સ્નેહ મિલન સમારંભ નું સ્થાન :

નંદનવન રિસોર્ટ, ઈન્દોર હાઇવે, ભાવડા, અમદાવાદ